ઘી પાલનપુર-વડગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થાપના તા.૩૦/૧૨/૫૫ ના રોજ થયેલ.કામકાજની શરૂઆત તા.૧/૧૦/૫૭ થી કરવાની આવેલ. પ્રારંભમાં શહેરમાં બહાદુરગંજ વિસ્તારમાં કામચલાઉ માર્કેટ યાર્ડ શરુકરવામાં આવેલ.જે પછી તા.૩૧/૧૦/૬૯ થી શહેરની પારેખવાડી નામે ઓળખાતી ૫ એકર ૩૩ ગુંઠા જમીનમાં મુખ્યયાર્ડ ચાલુ કરવામાં આવેલ.આ પછી બજારની વિસ્તારમાં સને ૧૯૮૦ થી દાંતા તાલુકનો ઉમેરો કરવામાં આવેલ. વખતો વખત શહેરનો વિકાસ થતાં તેમજ ખેત ઉત્પાદન વધતાં,માલની આવકો વધતાં મુખ્ય યાર્ડ નાનું પડવાથી સરદાર પટેલ માર્કેટયાર્ડ ડેરી રોડ પાલનપુર ઉપર આશરે ૪૫ એકર જમીન ખરીદી અધતન નવું મુખ્યયાર્ડ તા.૧૯/૧૦/૯૫ થી શરુ કરવામાં આવેલ છે.
|